મોરબીમાં આધેડે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

- text


મોરબી : મોરબીમાં આધેડે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આ બનાવની મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના શનાળા રોડ ઉપર રહેતા કીરીટભાઇ પ્રેમજીભાઇ પરમાર (ઉ.વ.૫૫) નામના આધેડ કોઈ કારણોસર ગઈકાલે તા. ૩૧ ના રોજ મોરબીના લાતી પ્લોટ શેરી.નં.૫માં આવેલ નવયુગ ઇન્ડસ્ટ્રીઝ કારખાનામાં ગળેફાંસો ખાઇ જતા તેમનું મોત નીપજ્યું હતું. બાદમાં તેમનો મૃતદેહ પીએન અર્થે મોરબીની સરકારી હોસ્પીટલ ખસેડાયો હતો. આ બનાવની જાણ થતાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

- text