મોરબીમાં રામનવમીએ કતલખાના બંધ રાખવા રજુઆત

- text


ધાર્મિક લાગણીને ઠેસ પહોંચતી અટકાવવા જીવદયા પ્રેમીઓએ મુખ્યમંત્રીને કરી રજુઆત

મોરબી : આગામી 21 એપ્રિલને બુધવારે રામનવમીના પવિત્ર તહેવારના દિવસે રાજ્યમાં કતલખાના સહિત નોનવેજના ખરીદ-વેંચાણ પર પ્રતિબંધ લગાવવાની જીવદયા સંગઠનો તથા એનિમલ હેલ્પલાઈને મુખ્યમંત્રીને રજુઆત કરી છે.

મોરબીના જીવદયા પ્રેમીઓ દ્વારા તારીખ 21 એપ્રિલના દિવસે રામનવમીનો તહેવાર હોય એ નિમીતે સમગ્ર રાજ્યમાં કતલખાનાઓ બંધ રાખવા, ઈંડા, ચીકન, મચ્છી સહિતનાં વેચાણ બંધ રાખવા અંગે એનીમલ હેલ્પલાઈને મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. હિન્દુ ધર્મના અતિ પવિત્ર તહેવાર રામનવમી નિમીતે તમામ કતલખાના બંધ રાખવા, કતલ કરવા પર રોક લગાવી, માંસ મટન, ચીકન, મચ્છીના વેચાણ ઉપર પ્રતિબંધ ફરમાવવા અને તેનું કડક અમલીકરણ કરાવવા તથા આ જાહેરનામાની બહોળી પ્રસિધ્ધિ કરાવવા એનીમલ હેલ્પલાઈન દ્રારા ગજરાતના જીવદયા પ્રેમી એવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રજૂઆત કરવામાં આવી છે.

- text

તંત્ર દ્વારા ઘણાં તહેવારો નિમિત્તે દર વર્ષે આ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવે છે. તો આ વર્ષે પણ રામનવમી તહેવાર નિમિત્તે નોનવેજના ખરીદ વેંચાણની મનાઈ કરતું જાહેરનામું બહાર પડાવી કાયદેસર અને ગેરકાયદે ચાલતા કતલખાનાઓ, માંસની દુકાનો પર પ્રતીબંધીત આદેશ બહાર પડાવવાની રજૂઆત એનીમલ હેલ્પલાઈનના મિતલ ખેતાણી, ઘનશ્યામભાઇ ઠકકર, ધિરેન્દ્ર કાનાબાર, પ્રતિક સંઘાણી, એડવોકેટ કમલેશભાઈ શાહ, રમેશભાઇ ઠકકર, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઇ ભરાડ દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રજુઆત કરવામાં આવી છે.

- text