વાંકાનેરમાં મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા કાર્તિક પૂર્ણિમાની ઉજવણી કરાઈ : શોભાયાત્રા યોજાઇ

- text


(કેતન ભટ્ટી) વાંકાનેર : વાંકાનેરમાં વસતાં મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા આજરોજ ભગવાન શિવ પુત્ર કાર્તિકેય સ્વામીની કાર્તિક પૂર્ણિમાની પરંપરાગત ઊજવણી કરવામાં આવી હતી, વાજતે ગાજતે શોભાયાત્રા યોજવામાં આવી હતી, પરંપરાગત અનોખી વેશભૂષા સાથે મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી હતી સાથો – સાથ વિવિધ હેરત અંગેજ શારીરિક કરતબો રજૂ કરવામાં આવ્યા હતાં અને અનેરા ધાર્મિક મહાત્મ્ય સાથે કાર્તિક પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી.

- text

- text