પિયર જવાની ના પાડતા મોરબી પાલિકાના પૂર્વ પ્રમુખના પુત્રવધુનો ગળેફાંસો ખાઈ આપઘાત

- text


પરિણીતાના કુટુંબીજનો સહિતના નિવેદન નોંધ્યા બાદ પોલીસ કાર્યવહી આગળ ધપશે

મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા મોરબી નગરપાલિકાના પૂર્વ મહિલા પ્રમુખના પુત્રવધુએ આજે વહેલી સવારે પિયરે જવાના કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ થતાં બી ડિવિઝન પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. હાલ મૃતકની અંતિમ વિધિ બાદ ગુજરનારના કુટુંબીજનોના નિવેદન નોંધાયા બાદ આ મામલે પોલીસ કાર્યવાહી આગળ ધપશે.

આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે શોભેશ્વર રોડ ઉપર નવી જિલ્લા કલેકટર કચેરી પાસે સોઓરડી વિસ્તારના નાકે આવેલ મહાવીર સોસાયટીમાં રહેતા અંકીતાબેન જીગ્નેશભાઈ સાગઠિયા (ઉ.વ.38) નામની પરિણીતાએ આજે વહેલી સવારે પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેણીનું મોત નીપજ્યું હતું. બાદમાં પરિણાતાંની ડેડબોડીને પીએમ અર્થે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક અંકિતાબેનને પિયર જવું હોય ઘરમાંથી બે ચાર દિવસ બાદ પિયર જવાનું કહેતા લાગી આવતા આ પગલું ભર્યું હોવાનું જણાવાઈ રહ્યું છે.

- text

વધુમાં મળતી વિગતો અનુસાર મૃતક અંકીતાબેન જીગ્નેશભાઈ સાગઠિયા મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ચંદ્રિકાબેન સાગઠિયાના પુત્રવધુ થાય છે. આપઘાતના બનાવનું કારણ જાણવા પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોન નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને વધુ તપાસ બી ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ફિરોઝભાઈ તપાસ ચલાવી રહ્યા છે.

- text