મોરબીના નીલકંઠ મહાદેવ મંદિરે જળ દિવસની ઉજવણી

- text


મોરબી : મોરબીના નીલકંઠ મહાદેવ મંદિરે જળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સૂર્ય દેવને પાણીનો અર્ક અર્પણ કરી જળ સમસ્યા દૂર કરવાની પ્રાર્થના કરવામાં આવી હતી. આ વેળાએ ગુલાબગીરી, અશોકભાઈ પટેલ, નરેન્દ્રભાઈ દલસાણીયા, નીતિનભાઈ સેતા, જીલાભાઈ પ્રજાપતિ, હર્ષદભાઈ ઝાલા, એડવોકેટ સરવૈયાભાઈ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ અશોકભાઈ દવે તરફથી કરવામાં આવ્યો હતો. સૌ ભક્તોએ સાથે મળી ભારે શ્રધ્ધાપૂર્વક વિધિમાં ભાગ લીધો હતો.

- text

- text