મોરબીમાં રવિવારે સંસ્કૃત સંમેલન

- text


સંસ્કૃત ભારતી સૌરાષ્ટ્ર પ્રાંત પ્રેરિત મોરબી જનપદનું અનેરૂ આયોજન

મોરબી : સંસ્કૃત ભારતી સૌરાષ્ટ્ર પ્રાંત પ્રેરિત મોરબી જનપદ દ્વારા આગામી તા.28ને રવિવારે બપોરે 4થી 6 દરમિયાન સાર્થક વિદ્યામંદિર ખાતે જિલ્લા સંસ્કૃત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

જિલ્લા સંસ્કૃત સંમેલનમાં શ્લોક સ્તોત્રમ, ગીતા પઠન, સંસ્કૃત કથા, સંસ્કૃત ગીત, સંસ્કૃત નાટક, સંસ્કૃત ગ્રામમ્, સંસ્કૃત પરિવાર સંવાદ, સંસ્કૃત અભિનય ગીત, સંસ્કૃત એકપાત્રીય અભિનય, સંસ્કૃત વક્તવ્ય (હોલિકા ઉત્સવ) સહિતના આકર્ષણો હશે. મુખ્ય અતિથિ તરીકે શાસ્ત્રી વિપુલભાઈ શુકલ (જ્યોતિષવિદ, ભાગવત આચાર્ય) અને
વક્તા ડો.પંકજભાઈ ત્રિવેદી (સંસ્કૃતભારતી સૌરાષ્ટ્ર પ્રાંત મંત્રી) ઉપસ્થિત રહેશે. આ સંમેલનમાં પધારવા સંસ્કૃત ભારતી, મોરબી જનપદ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text