શનાળા બાયપાસ નજીક રોડની કામગીરી શરૂ, સામાજિક કાર્યકરે ભાજપની કામગીરીને બિરદાવી

- text


મોરબી : ગઇકાલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ આવ્યું હતું. જેમાં મોરબી નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો. ત્યારે શનાળા બાયપાસ નજીક રોડની કામગીરી શરૂ થઈ છે. આથી, સામાજિક કાર્યકરે ભાજપની કામગીરીને બિરદાવી છે.

- text

મોરબીના સામાજિક કાર્યકર અબ્દુલ એમ. બુખારીએ જણાવ્યું છે કે જનતા વર્ષોથી રોડની સમસ્યાથી પરેશાન છે. જે પરેશાનીનો અંત આવશે. તાજેતરમાં નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના વિજયનું પરિણામ આવ્યું એ પહેલા શનાળા બાયપાસ નજીક આનંદનગર વિસ્તારમાં રોડની કામગીરી શરૂ થયેલ છે. આથી, આ વર્ષે ચોમાસામાં કીચડની સમસ્યાથી મુક્તિ મળશે. આથી, સ્થાનિકોમાં ખુશીની લાગણી જોવા મળી છે. આમ, સામાજિક કાર્યકરે ભાજપની કામગીરીને બિરદાવી છે.

- text