મોરબીમાં માનસિક બીમારીથી કંટાળી યુવાને આયખું ટૂંકાવ્યું

- text


મોરબી : મોરબીના રફાળેશ્વર ગામે આવેલ આંબેડકર નગર વિસ્તારમાં રહેતા યુવાનને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં માનસિક બીમારીથી કંટાળી યુવાને આયખું ટૂંકાવ્યું હોવાનું ખુલ્યું હતું.

- text

આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના રફાળેશ્વર રહેતા આંબેડકર નગર વિસ્તારમાં રહેતા ભરતભાઇ હમીરભાઇ સુમેસરા (ઉવ.30) નામના યુવાને ગત તા.2 ના રોજ પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. બાદમાં તેમના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બનાવની પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક ભરતભાઇ હમીરભાઇ સુમેસરા માનસીક બીમારીથી પીડાતો હોય જે કારણે લાગી આવતા જાતેથી ગળેફાંસો ખાઇને જીવન ટૂંકાવી લીધું હોવાનું ખુલ્યું હતું. તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text