લાલપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય કૃમિ નાશક દિવસની ઉજવણી

- text


મોરબી : આજે કેન્દ્ર સરકારના આદેશ મુજબ બાળકો અને યુવાનોમાં કૃમીઓની તકલીફ ન રહે અને તેઓ સ્વસ્થ અને તંદુરસ્ત રહે એ હેતુથી રાષ્ટ્રીય કૃમિ નાશક દિવસની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવી રહેલ છે. ત્યારે મોરબી જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી જે.એમ. કતીરાની સૂચના મુજબ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર ડો. હિરેન વાંસદડીયા, ઇન્ચાર્જ સુપરવાઈઝર દિલીપભાઈ દલસાણીયા, તેમજ લાલપર આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા લાલપર આરોગ્ય કેન્દ્રના તાબામાં આવતા વિવિધ સબ સેન્ટરમાં આશરે ૭૮૧૦ જેટલા ૧ થી ૧૮ વર્ષના બાળકો અને યુવાનોને અલ્બેન્ડાઝોલની દવા ખવડાવીને રાષ્ટ્રીય કૃમી નાશક દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

- text