મોરબીના મહેન્દ્રનગરમાં ચોરીના બનાવ અંગે ફરિયાદ નોંધાઈ

- text


 

 

તસ્કરો રોકડ-દાગીના મળીને કુલ રૂ.૧,૪૫ લાખની માલમતા ઉસેડી ગયા

મોરબી : મોરબીના મહેન્દ્રનગર ગામે ત્રણ દિવસ પહેલા તસ્કરો ત્રાટકયા હતા અને ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો.આ ચોરીના બનાવમાં હવે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.જેમાં તસ્કરો રોકડ-દાગીના મળીને કુલ રૂ.૧,૪૫ લાખની માલમતા ઉસેડી ગયાની ફરિયાદ નોંધાતા બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના મહેન્દ્રનગર ગામે ગ્રીનપાર્ક સોસાયટી, લક્ષ્મી એપાર્ટમેંટની બાજુમા રહેતા વેપારી મનસુખભાઇ નાનજીભાઇ સોનગરા (ઉ.વ.૩૫) એ અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૮ ના રોજ રાત્રીના સમયે અજાણ્યા શખ્સોએ ફરીયાદીનાં બંધ મકાનની લોખંડની ગ્રીલનો નકુચો તોડી ત્યારબાદ મેન દરવાજાનુ તાળુ તોડી રાત્રી દરમ્યાન પ્રવેશ કરી તીજોરીમા રાખેલ સોનાની કાનની બુટી નં‌-૨ અંદાજીત ગ્રામ ૦૫ કિંરૂ. ૧૫,૦૦૦ તથા મકાનના ઉપરના રૂમમા ટેબલના ખાનામા રાખેલ થેલામાથી રૂપીયા ૧,૦૦,૦૦૦, સોનાની વીટી નંગ-૩ અંદાજીત ગ્રામ-૧૦ વાળી કિ.રૂ. ૩૦,૦૦૦ ની એમ કુલ કિં. રૂ.૧,૪૫,૦૦૦ ની માલમતાની ચોરી કરી ગયા હતા.આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

- text