ટંકારામાં 108ની ટીમની પ્રામાણિકતા : ઇજાગ્રસ્ત વ્યક્તિની રૂ. 30 હજાર રોકડ સહિતની વસ્તુઓ પરિજનોને આપી ઈમાનદારી દાખવી

- text


ટંકારા : ગઇકાલે તા. ૧૭/૦૨/૨૦૨૧નાં રોજ રાત્રે ૦૨:૩૦ વાગે છતર ગામ અને મિતાણા ગામની વચ્ચે મોટર સાયકલ રોજડા સાથે અથડાઈ ગયું હતું. આ અકસ્માતમાં પગલે ડ્રાઇવર બેભાન થઈ ગયા હતા. જેની જાણ ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા ટંકારાની ટીમને થતાં તરત જ ઇ.એમ.ટી. ઈકબાલભાઈ ચુડેસરા અને પાઇલોટ છેલુભાઈ સંઘાણી ૧૦૮ લઈને રવાના થયા હતા.

- text

તેઓ ઘટનાસ્થળે પહોંચીને ઇજાગ્રસ્ત અને બેભાન વ્યક્તિને સારવાર અર્થે રાજકોટ સીવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમયે ૧૦૮ સેવાની ટીમને ઇજાગ્રસ્ત વ્યક્તિની માલિકીના રૂ. ૩૦,૦૦૦ રોકડ, વન પ્લસ મોબાઈલ ફોન અને ડોક્યુમેન્ટ મળી આવેલ હતા. આ વસ્તુઓને ૧૦૮ની ટીમે ઇજાગ્રસ્ત વ્યક્તિનાં પરિવારજનોને પરત આપીને પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડયું છે.

- text