વાંકાનેરમાં સગીરે ગળેફાંસો ખાઈને જીવાદોરી ટૂંકાવી

- text


પોલીસે બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી

વાંકાનેર : વાંકાનેરમાં એક સગીરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને જીવાદોરી ટૂંકાવી લીધી હતી. આ બનાવની વાંકાનેર પોલીસે નોંધ કરીને આ આપઘાતના બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

- text

આપઘાતના બનાવની વાંકાનેર સીટી પોલોસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર આંબેડકરનગર શેરી-૩ માં મોહનભાઇ ગેડીયાના મકાનમાં ભાડે રહેતા મૂળ સાગાંણી તા.ચોટીલાના વતની રાજદીપભાઇ માનસીંગભાઇ ધરજીયા (ઉ.વ-૧૭) નામનો સગીર ગઈકાલે તાઃ૧૪ ના રોજ કોઈ કારણોસર પોતાના રૂમમાં પંખા સાથે ચુંદડી વડે ગળેફાસો ખાઇને લટકી જતા તેનું મોત નીપજ્યું હતું. બાદમાં તેના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. વાંકાનેર સીટી પોલીસે આ બનાવની નોંધ કરીને સગીરે ક્યાં કારણોસર આપઘાત કર્યો તે જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

- text