વાંકાનેર સ્વામિનારાયણ મંદિર પાસે સ્પીડબ્રેકર મૂકવા અનિવાર્ય

- text


બેફામ ઝડપે દોડતા વાહનો જીવલેણ અકસ્માત સર્જે તે પૂર્વે અગમચેતીના પગલાં જરૂરી

વાંકાનેર : વાંકાનેરનાં રાજકોટ માર્ગ પર આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર પાસે દિવસરાત હજારો વાહનોની પૂરપાટ ઝડપે અવરજવર રહેતી હોય. આથી, અહીં માર્ગની બન્ને તરફ ગતિઅવરોધકો મૂકવા જરૂરી છે.

વાંકાનેર-રાજકોટ માર્ગ સતત વાહનોથી ધમધમતો માર્ગ છે. અહીં બીએપીએસ મંદિર ઉપરાંત કોર્ટ સંકુલ અને વિવેકાનંદ સોસાયટી જેવો રહેણાંક વિસ્તાર પણ આવેલ હોય લોકોની સતત અવરજવર રહે છે. અહીં માત્ર તાલુકા સેવા સદન પાસે જ સ્પીડ બ્રેકર છે. ત્યાંથી મંદિર સુધીમાં તો વાહનો પુરઝડપે વેગ પકડી લે છે. અહીં અગાઉ અકસ્માતો પણ થયા છે. નાની ગણાતી બાબત મોટો અકસ્માત સર્જી શકે છે. વિવેકાનંદ સ્ટેચ્યુથી મંદિર સુધીના માર્ગનું કામ પણ હજી બાકી છે ત્યારે આ માર્ગનું કામ પણ હજુ અધ્ધરતાલ છે. ત્યારે અહીં કોઈ અકસ્માત સર્જાય તે પહેલા માર્ગની બન્ને તરફ ગતિ અવરોધકો જેવું સામાન્ય કામ તો તંત્ર કરી શકે. ત્યારે આ કામ તાકીદે કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

- text

- text