રફાળેશ્વર નજીક છરીની અણીએ લૂંટ : એક લૂંટારુંને પબ્લિકે, એકને પોલીસે ઝડપ્યો

- text


મોરબી : મોરબીના રફાળેશ્વર નજીક ગત રાત્રીના રીક્ષા ચાલક સહિત ચાર શખ્સોએ છરીની અણીએ લૂંટ ચલાવી હતી, આ ઘટનામાં એક લૂંટારુને પબ્લિકે અને એક લૂંટારુને પોલીસે ઝડપી લઈ નાસી છૂટેલા અન્ય બે આરોપીની શોધખોળ હાથ ધરી છે.

જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે બુધવારે રાત્રે આશરે 9 વાગ્યાના સુમારે રફાળેશ્વર નજીક રિક્ષામાં સવાર ચાર શખ્સોએ સુનિલકુમાર રાજેન્દ્રપ્રસાદ ગૌતમ રહે. રફાળેશ્વર વાળાને હાથમાં છરી મારી રૂપિયા ૭૦૦ રૂપિયાની રોકડ તથા મોબાઇલની લૂંટ ચલાવી હતી.

આ ચોંકાવનારી લૂંટની ઘટનામાં બનાવ સ્થળે એકઠી થયેલી ભીડે રીક્ષા ચાલકને ઝડપી પોલીસને હવાલે કર્યો હતો. જ્યારે અન્ય ત્રણ શખ્સો નાસી છૂટ્યા હતા જેમાં ઝડપાયેલા રીક્ષા ચાલક કાસીમ ઇબ્રાહિમ શાહમદાર તથા તેના સાગરીત પ્રશાંત ઉર્ફે પપ્પુની વિસ્તૃત પૂછપરછમાં અરવિંદ નામના શખ્સનું નામ ખુલ્યું હતું.

- text

જ્યારે રીક્ષા નંબર GJ 1 AX 9522ના ચાલકની બાજુમાં બેસેલા અજાણ્યા શખ્સની ઓળખ મેળવવી હજુ બાકી હોવાનું તાલુકા પોલીસ મથકેથી જાણવા મળ્યું છે. લૂંટારૂનો ભોગ બનેલા સુનિલકુમારની ફરિયાદ નોંધી તાલુકા પોલીસે ઝડપાયેલા બન્ને વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુન્હો રજિસ્ટર કરી અગાઉ આવા કોઈ બનાવમાં આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ સહિતની પૂછપરછ હાથ ધરી છે.

 

- text