ગૌરવ : ખાખરાળા ગામના પૈજા પરિવારનું ‘કોકોનટ થીયેટર’ દ્વારા સન્માન

- text


મોરબી : કોરોના કાળ દરમિયાન પ્રખ્યાત ‘કોકોનટ થીયેટર’ દ્વારા રજૂ થયેલ CHAI-WAI & RANGAMANCH કાર્યક્રમના સીઝન 1 અને 2માં વિશ્વના વિવિધ દેશના 134 રાજ્યો દ્વારા કાર્યક્રમ રજૂ થયેલ હતો. જેમાંથી ખાખરાળા ગામમાં રહેતા સમગ્ર પૈજા પરિવાર કે જેઓનું “સ્વામી વિવેકાનંદ ભવાઈ મંડળ” ચાલે છે, તેમને તાજેતરમાં એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ એવોર્ડ નાટ્ય કલા અને ભારતીય સંસ્કૃતિનો વારસો જાળવવા અથાગ પ્રયત્નો કરવા બદલ આપવામાં આવ્યો છે. આ ગ્રુપનું સંચાલન નિવૃત શિક્ષક પ્રાણજીવનભાઈ બાબુલાલ પૈજા કરે છે કે જે મોરબી જિલ્લા, ગુજરાત રાજ્ય અને સમગ્ર સંસ્કૃતિ માટે ગૌરવની વાત ગણી શકાય.

- text

 

- text