ખોખરા હનુમાન મંદિરના મહંત કનકેશ્વરીદેવી દ્વારા રામમંદિર નિર્માણ માટે રૂ. 1.01 લાખ અર્પણ

- text


મોરબી : સેવા, સંસ્કૃતિ અને શ્રદ્ધાના ત્રિવેણી સંગમ એવા ખોખરા હનુમાન મંદિરના મહંત મા કનકેશ્વરી દેવી કે જેઓ વિશ્વ પ્રસિદ્ધ કથાકાર છે, તેમના દ્વારા અયોધ્યા ખાતે રામમંદિરના નિર્માણ કાર્ય માટે રૂ. 1,01,111નું સમર્પણ કરવામાં આવેલ છે. તથા તેમના શિષ્યા લીલામા તરફથી પણ રૂ. 5000નું સમર્પણ કરવામાં આવેલ છે.

રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર સંસ્થાના ડો. જયંતીભાઈ ભાડેસીઆ, વિપુલભાઈ અઘારા, લલિતભાઈ ભાલોડિયા, મહેશભાઈ બોપલીયા, જે. પી. જેસ્વાની, હસુભાઈ પંડ્યા, ભાવેશભાઇ કુંડારીયા તથા મહેન્દ્રભાઈ સવસાણી સાથેની મુલાકાત દરમિયાન તેઓએ અયોધ્યામાં બની રહેલા રામમંદિરને ઐતિહાસિક ધન્ય ઘડી માની અને તેમાં પોતાને યોગદાન આપવાનો લ્હાવો મળ્યો તેને સૌભાગ્ય માન્યું હતું.

- text

- text