મોરબીમાં સદગતના સ્મરણાર્થે યોજાયેલ કેમ્પમાં 117 બોટલ બ્લડ ડોનેટ થયું

- text


મોરબી : મોરબીમાં લાલુભા માનુભા ઝાલા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ તથા ફ્રી સર્વ રોગ નિદાન કેમ્પમાં ૧૧૭ બેગ બ્લડ ડોનેટ થયું હતું અને ૧૫૦૦ જેટલા લોકોએ કેમ્પની મુલાકાત લીધી હતી.

આજે તા. 27ના રોજ લાલુભા માનુભા ઝાલા દ્વારા તેમના મોટા ભાઈ સ્વ. ઉમેદસિંહ માનુભા ઝાલાનાં સ્મરણાર્થે આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ તથા ફ્રી સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. તેમાં ૧૧૭ બેગ રક્તદાન થયું હતું. તેમજ નિદાન-સારવાર આવેલા દર્દીઓ અને ધ્વજવંદન કાર્યક્રમમાં જોડાયેલા સ્થાનિકો મળી સવારથી સાંજ સુધીમાં લગભગ ૧૫૦૦થી પણ વધુ લોકોએ કેમ્પની મુલાકાત લીધી હતી. આ કેમ્પમાં કોવિડ-૧૯ની ગાઇડલાઈનનું ચુસ્ત પાલન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં સાથ-સહકાર આપનાર તમામ ડોકટરની ટીમ, બ્લડ બેંકની ટીમ અને સર્વ સમાજનાં આગેવાનોનો લાલુભા ઝાલાએ યાદીમાં આભાર વ્યક્ત કર્યો હતો.

- text

- text