વાંકાનેરમાં સામાજિક સદભાવ બેઠક યોજાઈ

- text


વાંકાનેર : ગઈકાલે તારીખ – 10/1/2021ના રોજ વાંકાનેરની કે. કે. શાહ હાઈસ્કૂલના ઓડિટોરિયમ હોલમાં સામાજિક સદભાવ બેઠકનું આયોજન કરેલ હતું. જેમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ માંથી મોરબી જિલ્લાના જિલ્લા સંઘચાલક લાલિતભાઈ ભલોડિયા મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત હતા તથા વાંકાનેરના રઘુનાથજી મંદિરના મહંત રેવાદાસ બાપુ અને વિશ્વ હિન્દુ પરિષદમાંથી જિલ્લાના અધ્યક્ષ દિઘુભા ઝાલા ઉપસ્થિત હતા. આ કાર્યક્રમમાં નગરની સાતેય વસ્તીમાંથી દરેક જ્ઞાતિ અને સેવાભાવી સંસ્થામાંથી લોકો ઉપસ્થિત હતા. કાર્યક્રમમાં કુલ 130 લોકો હાજર રહ્યા હતા. અને આખા કાર્યક્રમનું સંચાલન રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા કરવામાં આવ્યું હતું.

- text

- text