- text
મોરબી: શનાળા બાયપાસ પાસે આવેલ લાયન્સનગર મેઇન રોડનું શુક્રવારે સાંજે ભૂમિ પૂજન તેમજ ખાતમહુર્ત કરવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી બિસ્માર બની ગયેલા લાયન્સનગરના મુખ્ય માર્ગનું શુક્રવારે સાંજે 5:00 કલાકે ભૂમિ પૂજન તથા ખાતમહુર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા, માજી કાઉન્સીલર ભાવેશ કણજારીયા, કે.કે. પરમાર તથા ભૂતપૂર્વ પ્રમુખ કેતન વીરપરા સહિત બહોળી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
- text
ધારાસભ્ય બ્રિજેશ મેરજાના વરદ હસ્તે શ્રીફળ વધેરી ખાતમહુર્ત બાદ ઉપસ્થિત તમામ લોકોના મોં મીઠા કરાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, બિસ્માર બનેલા આ રોડનું નવીનીકરણ કરવા માટે સ્થાનિક લોકોની ઘણા સમયથી માગણી હતી. ત્યારે રોડનું કાર્ય શરૂ થતાં જ રાહગીરો તેમજ વાહન ચાલકોએ રાહતનો શ્વાસ લીધો છે. આ તકે સામાજિક કાર્યકર અબદુલભાઇ એમ. બુખારીએ ઉપસ્થિત લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
- text