મોરબીના ઇન્દિરાનગરની પરિણીતા લાપત્તા

- text


મોરબી : મોરબીના ઇન્દિરાનગરમાં સમર્પણ હોસ્પિટલ પાછળ મોમાઇ કરીયાણા સ્ટોર્સ પાસે રહેતા મુકેશભાઇ દેજીભાઇ સોલંકીના પત્ની વિજયાબેન (ઉ.વ. 37) ગત તા. 30ના રોજ સવારના નવેક વાગ્યાના સમયે ઘરે કોઇને કહયા વગર કયાંક ચાલ્યા ગયા છે. જે અંગે ગુમશુદાના પતિએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હાલમાં પોલીસે પરિણીતાની શોધખોળ આદરી છે. ઉલ્લેખનીય છે કે વિજયાબેનએ વરીયાળી કલરની સાડી અને લાલ કલરનુ બ્લાઉઝ પહેરેલુ છે. જેણે હાથમા ત્રાજવાથી આર ત્રોફાવેલ છે. તેણે કોઇ અભ્યાસ કરેલ નથી.

- text

 

- text