ટંકારા : દુષ્કર્મ મામલે સામજિક એકતા જાગૃતિ મિશને પીડિતાના પરિવારની મુલાકાત લીધી

- text


પોલીસવડાને રજૂઆત કરી કડક કાર્યવાહી કરવા માંગ

ટંકારા : ટંકારા તાલુકાની ૧૪ વર્ષની બાળકી સાથે થોડા દિવસો પહેલા દુષ્કર્મની ઘટના બનેલ હતી. જે અનુસંધાને સામાજિક એકતા જાગૃતિ મિશનની રાષ્ટ્રીય ટીમે પીડિત પરિવારના ઘરે રૂબરૂ મુલાકાત કરી હતી. સમગ્ર ઘટના બાબતે સામાજિક એકતા જાગૃતિ મિશનના રાષ્ટ્રીય સંયોજક એડવોકેટ કેવલસિંહ રાઠોડ, રાષ્ટ્રીય મહાસચિવ ભીમજી બેડવા, સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી સુખદેવ રાઠોડ, મોરબી જિલ્લા પ્રભારી હિતેશભાઈ ગેડીયા, જિલ્લા સહપ્રભારી હમીરભાઇ ટોડીયા, જિલ્લા અધ્યક્ષ મધુવન સંઘપાલ જિલ્લા મીડિયા સચીવ સુરેશ રાયકા વગેરે લોકો દ્વારા મોરબી પોલીસવડાની રૂબરૂ મુલાકાત કરી સમગ્ર ઘટનાની ગંભીરતાપૂર્વક તપાસ કરવા રજૂઆત કરવામાં આવી હતી.

જેમાં આરોપી વિરૂદ્ધ પોકશો એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવે, પીડિત પરિવારને પોલીસ રક્ષણ આપવામાં આવે, કોર્ટમાં ડે ટુ ડે કેસ ચલાવવામાં આવે, આરોપીનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે, પરિવારને સ્વરક્ષણ માટે હથિયાર રાખવા માટે પરવાનો આપવામાં આવે વગેરે માંગણી મૂકવામાં આવી તેમજ ૧૫ દિવસમાં તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે નહિતર સમગ્ર રાજ્યમાં આંદોલન કરવામાં આવશે. તેમ મુલાકાત દરમિયાન જણાવાયું છે.

મિશનના રાષ્ટ્રીય સંયોજક રાઠોડે મીડિયાને સંબોધતા જણાવ્યું છે કે રાજ્યની રૂપાણી સરકાર ફક્ત એના ભાષણોમાં ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ની વાતો કરે છે. જ્યારે આવી માનવતાને શર્મસાર કરતી ઘટના બાબતે ચૂપ રહે છે. આ દુષ્કર્મની સમગ્ર ઘટનાની તપાસ થાય અને પીડિત પરિવારને ઝડપથી ન્યાય મળે એ બાબતે મોરબી જિલ્લા પોલીસવડાને આવેદન પણ આપવામાં આવ્યું હતું.

- text

- text