મોરબીમાં ભાજપ દ્વારા સ્વ. અટલ બિહારી વાજપેયીની જન્મજંયતિ નિમિત્તે પુષ્પવંદના કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : આજે તા. 25 ડિસેમ્બરના રોજ ભારતના ભૂતપુર્વ વડાપ્રધાન, ભાજપના દિગ્ગજ નેતા અને ભારત રત્ન સ્વ. અટલ બિહારી વાજપેયીની જન્મજંયતિ છે. ત્યારે મોરબીમાં ભાજપ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓએ અટલ બિહારી વાજપેયીને પુષ્પાંજલી અર્પણ કરી હતી.

મોરબીમાં ભાજપ દ્વારા જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે સ્વ. અટલ બિહારી વાજપેયીની જન્મજંયતિ નિમિત્તે પુષ્પવંદના કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરિયા, મહામંત્રી જયરાજસિંહ જાડેજા, પુર્વ રાજ્ય મંત્રી જયંતિભાઇ કવાડિયા તેમજ જીલ્લા ભાજપ હોદેદારો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી અટલ બિહારી વાજપેયીને પુષ્પાંજલી અર્પણ કરી હતી.

- text

- text