મોરબીથી રાજકોટ જવાનું કહી નીકળેલી યુવતી લાપત્તા

- text


મોરબી : મોરબીથી રાજકોટ જવાનું કહી નીકળેલી યુવતી લાપત્તા બની છે. હાલમાં પોલીસ ગુમશુદા યુવતીની શોધખોળ કરી રહી છે.

મૂળ દ્વારકાના મીઠાપુર ગામની વતની નેહાબેન અજુભાઇ માંગલીયા (ઉ.વ. 18 વર્ષ, રહે હાલ પ્રભાત હોસ્પીટલ) ગત તા. 6ના રોજ પ્રભાત હોસ્પીટલ, મોરબીથી રાજકોટ જવાનુ કહી નીકળી ગયેલ હતી. પરંતુ આજદિન સુધી ઘરે પરત નહી આવતા તેમની માતા રેખાબેન (રહે. મીઠાપુર)એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી છે.

- text

- text