મોરબીના ઇન્દીરાનગર વિસ્તારનો યુવાન લાપતા

- text


 

 

મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ ઇન્દીરાનગર વિસ્તારનો યુવાન લાપતા થઈ ગયો હોવાનો બનાવ સામે આવ્યો છે.આ બનાવની મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે આવેલ ઇન્દીરાનગરના મંગલમ વિસ્તારમાં રહેતા ગોપાલભાઇ પ્રભુભાઇ ઝીંઝુવાડીયા (ઉ.વ. આશરે 45 વર્ષ) નામના યુવાન ગત તા.૨૩/૧૧/૨૦૨૦ ના રોજ પોતાના ઘરેથી કોઇને કહ્યા વગર નીકળી ગયા હતા.તેઓ સમયસર પરત ન ફરતા તેમના પરિવારજનોએ ઘરમેળે શોધખોળ કરી હતી.પરંતુ આજદિન સુધી તેમનો ક્યાંયથી પણ પત્તો ન લાગતા અંતે તેમના પરિવારજનોએ આ અંગે બી ડિવિજન પોલીસ મથકે ગુમસુદા નોંધાવી છે.આથી બી ડિવિજન પોલીસે આ ગુમ થનાર વ્યક્તિની શોધખોળ હાથ ધરી છે.

- text