- text
મોરબી : મોરબી એસટી ડેપોની બસોના મેઈનટેનન્સ માટે રાજકોટથી 10 કર્મચારીનોની ટીમને મુકવામાં આવી છે. આ ટીમ બસોની તપાસણી કરશે અને જરૂર પડ્યે સ્થાનિક ટીમ સાથે મળી તેનું રીપેરીંગ કામ હાથ ધરશે.
- text
મોરબી એસટી ડેપો પાસે હાલ 56 બસો છે. જેની સમયાંતરે નિયમ મુજબ મેઇનટેનન્સની કામગિરી કરવાની થતી હોય આ માટે રાજકોટથી 10 કર્મચારીઓ મુકવામાં આવ્યા છે. આ કામગિરી અંદાજે બેથી ત્રણ દિવસ ચાલવાની છે. જો કે એવી પણ વાત મળી રહી છે કે સ્ટાફની ઘટના કારણે ડેપોની અનેક બસોમાં કઈકને કઈ ક્ષતિઓ છે.
- text