રોહીશાળા ગામમાં ઝાડ સાથે ગળેફાંસો ખાઈ તરુણનો આપઘાત

- text


ટંકારા : ટંકારા તાલુકાના રોહીશાળા ગામમાં ઝાડ સાથે ગળેફાંસો ખાઈ એક તરુણે આપઘાત કરી લીધો છે. આ બનાવ અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

ગઈકાલે તા. 15ના રોજ મૂળ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના આગણીગામના વતની તેમજ હાલ રોહીશાળા ગામમાં મહાદેવભાઇ પટેલની વાડીએ ઓરડીમાં રહેતા શૈલેષભાઇ કાળુભાઇ ડામોર (ઉ.વ. 19)એ કોઇ કારણોસર લીમડાના ઝાડ સાતે ગળેફાંસો ખાઇ લીધો હતો. આથી, તેનું મૃત્યુ થયું છે. આ બનાવમાં પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

- text

- text