મોરબીના શિક્ષિકાની પુત્રી કેસુર ક્રિષ્ના સંસ્કૃત વિષયમાં પીએચડી થયા

- text


મોરબી : મોરબીમાં આવેલ ડી. જે. પટેલ કન્યા વિદ્યાલયમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા દેવિકાબેન નાનજીભાઈ મિયાત્રાની પુત્રી તથા મોરબી તાલુકા પંચાયતમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા વિજયભાઈ નાનજીભાઈ મિયાત્રાની ભાણેજ કેસુર ક્રિષ્ના એ મ્યુનીસીપલ મહિલા કોલેજ – ગોંડલ સંસ્કૃત વિભાગના પ્રોફેસર ડૉ. પારૂલબેન એમ. મહેતાના માર્ગદર્શન હેઠળ ‘सन 2014 तक विरचित रबीन्द्र कुमार पंडा की कृतियों का वागीश्वरी कंठसुत्र के आलोकमे काव्यशास्त्रीय अध्ययन’ વિષય ઉપર મહાશોધ નિબંધ લખેલ છે. જેને સૌરાષ્ટ્ર યુનિવર્સીટી – રાજકોટ દ્વારા માન્ય રાખીને સંસ્કૃત વિષયમાં કેસુર ક્રિષ્નાને પી.એચડી.ની પદવી આપેલ છે. તેની આ સિદ્ધિ બદલ તેમના પરિવારે અભિનંદન પાઠવ્યા છે.

- text

- text