ધારાસભ્ય બ્રિજેશ મેરજા 11 અને 12મીએ મોરબી તાલુકાના 39 ગામોનો પ્રવાસ કરશે

- text


મોરબી : મોરબી-માળીયા વિધાનસભાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા આગામી તા. 11 અને 12 ડિસેમ્બરના રોજ મોરબી તાલુકાના કુલ 39 ગામોનો પ્રવાસ કરશે. આ કાર્યક્રમ અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તાઓ અને આગેવાનો પ્રવાસમાં સાથે જોડાશે. આ પ્રવાસ દરમિયાન ગામના અગ્રણીઓ તથા ગામજનો સાથે તેમની સમસ્યા અંગે ચર્ચા-વિચારણા કરશે.

ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા તા. 11ના રોજ સવારે સવારે 8-30 કલાકે શનાળા (ત.), 9 વાગ્યે બેલા, 9-30 વાગ્યે રંગપર, 10 વાગ્યે કેશવનગર, 10-30 વાગ્યે જીવાપર, 11 વાગ્યે ઝીકીયારી, 11-30 વાગ્યે ચકમપર, 12 વાગ્યે જેતપર તથા 12-30 વાગ્યે અણીયારી ગામની મુલાકાત લેશે. ત્યારબાદ બપોરે 2 વાગ્યે રાપર, 3 વાગ્યે શાપર, 3-30 વાગ્યે જસમતગઢ, 4 વાગ્યે મહેન્દ્રનગર, 4-30 વાગ્યે ત્રાજપર, 5 વાગ્યે ભડીયાદ, 5-30 વાગ્યે ધરમપુર, 6 વાગ્યે ટીમ્બડી તથા 6-30 વાગ્યે અમરેલી ગામ ખાતે મુલાકાત લેશે. આમ, શુક્રવારે બ્રિજેશભાઈ 18 ગામોનો પ્રવાસ કરશે.

- text

બીજા દિવસે તા. 12ના રોજ સવારે 8-30 કલાકે ભરતનગર, 9 વાગ્યે નવા સાદુળકા, 9-30 વાગ્યે જુના સાદુળકા, 10 વાગ્યે ભકિતનગર, 10-30 વાગ્યે રવાપર (નદી), 11 વાગ્યે દાદાનગર, 11-30 વાગ્યે અમરનગર, 12 વાગ્યે કેરાળા, 12-30 વાગ્યે હરીપર તથા 1 વાગ્યે લક્ષ્મીનગર ગામ ખાતે મુલાકાત લેશે. ત્યારબાદ બપોરે 2 વાગ્યે કૃષ્ણનગર, 3 વાગ્યે ગુંગણ, 3-30 વાગ્યે ગાળા, 4 વાગ્યે વાઘપર, 4-30 વાગ્યે પીલુડી, 5 વાગ્યે સોખડા, 5-30 વાગ્યે બહાદુરગઢ, 5-45 વાગ્યે નવા બહાદુરગઢ, 6 વાગ્યે મધુપુર, 6-15 વાગ્યે નવા નાગડાવાસ તથા 6-45 વાગ્યે જુના નાગડાવાસ ગામની મુલાકાત લેશે. આમ, શનિવારે બ્રિજેશભાઈ 21 ગામોનો પ્રવાસ કરશે.

- text