- text
રાજકોટના બોલબાલા ટ્રસ્ટ અને દિવ્ય જીવન સંઘના સંયુક્ત ઉપક્રમે આયોજન
વાંકાનેર : વાંકાનેરમાં કોરોના અને દિવાળી અંગેની વસ્તુઓનું રાહત દરે વિતરણ કરવામાં આવશે. આ આયોજન રાજકોટના બોલબાલા ટ્રસ્ટ અને દિવ્ય જીવન સંઘના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે. વાંકાનેરમાં માર્કેટ ચોક ખાતે આગામી તા. 17ના રોજ શનિવારે સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી માસ્ક, સૅનેટાઇઝર, કપૂર, આયુર્વેદિક દવા, રંગોળીના કલર, દિવા, તોરણ જેવી અનેક વસ્તુઓનું રાહત દરે વેચાણ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે વાંકાનેરમાં સીટી સ્ટેશન રોડ પર મહાવીર જીનની બાજુમાં દિવ્ય જીવન સંઘ ખાતે રાજકોટના બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટનું કેન્દ્ર છે. જ્યાં વોકર, ટોયલેટ ચેર/ટેબલ, એરબેડ, વોટરબેડ જેવા તમામ મેડિકલ સાધનો નજીવા દરે ડિપોઝીટ લઇ આપવામાં આવે છે. આ સાધનોનો લાભ જરૂરિયાતમંદ દર્દીઓ લઇ શકે છે. તેમજ લોકો બિનઉપયોગી પડેલા સાધનો સંસ્થાને આપી શકે છે. વધુ વિગત માટે દિવ્ય જીવન સંઘ (મો.નં. 98794 91424) પર સંપર્ક કરી શકાશે.
- text
મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate
- text