વાંકાનેરમાં યુવાને ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો

- text


વાંકાનેર : વાંકાનેરમાં યુવાને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ બનાવની વાંકાનેર સીટી પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેરના મિલપ્લોટ ડબલચાલી વિસ્તારમાં રહેતા મહેશભાઇ કાનજીભાઇ રોજારા (ઉ.વ.૩૪) નામના યુવાને ગઈકાલે પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજ્યું હતું. વાંકાનેર પોલીસે આ બનાવની નોંધ કરીને યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો તે જાણવા માટે મૃતકના પરિવારજનોના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ વાંકાનેર સીટી પોલીસ મથકના એ.એસ.આઇ. એચ.ટી.મઠીયા ચલાવી રહ્યા છે.

A fabric low poly suicide rope with slipknot placed on the white concrete wall with white space on left. 3D illustration and rendered by program Blender.

 

- text