મોરબીની ત્રાજપર ચોકડી પાસે રિક્ષામાંથી પડી જતા યુવકનું મોત

- text


મોરબી : આજે તા. 3ના રોજ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબીના લાલપર નજીક સીરામીક ફેકટરીની ઓરડીમાં રહેતા કરણસિંહ પન્નાલાલ ખતેડ (ઉ.વ. 38) રીક્ષામાં જતા હતા. ત્યારે રામકુવા પાસે ત્રાજપર ચોકડીએ તેમાંથી પડી જવાથી માથાના ભાગમાં ઇજા થઈ હતી. આથી, તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મૃતકના પત્ની સુનિતાબેન કરણસિંહ ખતેડએ અજાણ્યા રીક્ષાચાલક સામે મોરબી પોલીસ બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી.

- text

- text