મોરબી આર.ટી.ઓ.વાળો પુલ ફરી ધમધમતો કરાયો

- text


માર્ગ અને મકાન વિભાગ દ્વારા પુલના માર્ગની મરમત્ત કરીને આજથી ચાલુ કરી દેવાયો

મોરબી : મોરબી આરટીઓવાળા પુલને અગાઉ સમારકામ માટે બંધ કરી દેવાયા બાદ આજથી આ પુલને ફરીથી ધમધમતો કરી દેવામાં આવ્યો છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા પુલના માર્ગની મરમત્ત કરીને આજથી પુલને ચાલુ કરી દેવાયો આવ્યો છે.

- text

મોરબી બાયપાસ પર આરટીઓવાળો પુલ અગાઉ વરસાદમાં જોખમી બનતા આ પુલના સમારકામ માટે ગત તા.26 ના રોજ બંધ કરવામાં આવ્યો હતો. બાદમાં માર્ગ અને મકાન વિભાગ દ્રારા આ પુલના માર્ગનું રિપેરીગ હાથ ધરાયુ હતું. ત્યારે આ પુલને આજે ફરી શરૂ કરી દેવામાં આવ્યો હતો. આજે સવારે ધીમે ધીમે ટ્રાફિક શરૂ કર્યા બાદ બપોર બાદ ભારે વાહનો શરૂ કરવામાં આવ્યા છે. આ અંગે માર્ગ અને મકાન વિભાગના અધિકારી હિતેશ આદ્રોજાએ જણાવ્યું હતું કે હાલ આ પુલનું સમારકામ કરી દેવામાં આવ્યું છે. જો કે ડામર રોડનું કામ વરસાદ કારણે થઈ શકે એમ નથી. થોડા દિવસો બાદ સંપૂર્ણપણે વરાપ નીકળતા આ કામગીરી હાથ ધરાશે.

- text