મોરબી DDO દ્વારા પાકના નુકસાનીનો સર્વે તાકીદે કરવા દરેક TDOને આદેશ

- text


જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાની સૂચનાનો અમલ કરતા DDO

મોરબી : મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને ખેતીવાડી પાકના નુકસાનનો તાત્કાલીક સર્વે કરવા માટે સુચના આપવામાં આવતા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા મોરબી જિલ્લાના તમામ તાલુકા વિકાસ અધિકારીને સર્વેમાં કોઈપણ વિલંબ ન થાય અને તાત્કાલીક સર્વે કરવા તાકીદ સાથે લેખિતમાં સુચના આપવામાં આવી છે.

- text

મોરબી જિલ્લા વિકાસ અધિકારીએ આદેશમાં જણાવ્યું છે કે હાલ વધુ વરસાદ પડતા ખેતીવાડીમાં પાક નુકશાન થયેલ હોય, જે અંતર્ગત ખેતીવાડી પાક નુકશાનનો સર્વે હાથ ધરાયેલ છે. જેમાં તાલુકા વિકાસ અધિકારીના તાબા હેઠળનાં તલાટી કમ મંત્રી તથા સરપંચોને સુચના છે કે દરેક ગામે ગામમાં ગ્રામસેવક સાથે લગત તલાટી કમ મંત્રી તથા સરપંચોએ સાથ સહકાર આપવાનો છે. જે સર્વેમાં કોઈપણ વિલંબ કરવાનો થતો નથી. તેવી તાકિદ આપવામાં આવેલ છે.

- text