મોરબીમાં ખરીદેલું મકાન ફરી વેચવા મામલે આધેડ સહિત ત્રણ વ્યક્તિઓ ઉપર હુમલો

- text


ત્રણ શખ્સોએ હુમલો કર્યાની બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાઇ

મોરબી : મોરબીના સામાકાંઠે આવેલા મકાનને અગાઉ બિલ્ડરે ત્રણ શખ્સોને વેચાતું આપ્યું હતું. પણ આ ત્રણ શખ્સો મકાનના સમયસર પૈસા ન આપી શકતા બિલ્ડરે એ મકાનને ફરી અન્ય આધેડને વેચાતું આપી દીધું હતું. આ બાબતનો ખાર રાખીને ત્રણ શખ્સોએ આધેડ સહિત ત્રણ વ્યક્તિઓ ઉપર હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો હતો.

- text

આ બનાવની મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબી-૨ સમર્પણ હોસ્પીટલ પાછળ રહેતા અમરશીભાઇ દેવાભાઇ મારૂ (ઉ.વ.૫૪) એ મોરબી-૨ સમર્પણ હોસ્પીટલ પાછળ આવેલ ભક્તિનગર સોસાયટીમાં રહેતા નાગજીભાઇ, નરેશભાઇ નાગજીભાઇ, મહેન્દ્રભાઇ નાગજીભાઇ સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા. ૩૦ના રોજ સાંજના સાતેક વાગ્યાના અરસામા આરોપીએ અગાઉ એક મકાન ખરીદેલ હતુ. તેના પૈસા ન થતા આ મકાનના બીલ્ડરે ફરીયાદીને મકાન વેંચતા, જે બાબતનો ખાર મનદુ:ખ રાખી આરોપીઓએ ફરીયાદીને ગાળો આપી ઢીકાપાટુનો માર મારી લોખંડના પાઇપ વતી માથામા ઇજા કરી હતી. તેમજ આરોપીઓએ સાહેદ નરેશભાઇને તથા સાહેદ ભુપતભાઇને લાકડીના ધોકા વતી બન્નેને માથામા તેમજ આડેધડ માર મારી ઇજા કરી હતી. આ બનાવ અંગે ડિવિઝન પોલીસે આધેડની ફરિયાદ પરથી ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text