લખધીરપુર રોડ પર ઇલેક્ટ્રિક પોલ ધરાશાહી થતા આવાગમન ખોરવાયું

- text


મોરબી : મોરબીના લખધીરપુર રોડ પર ઇલેક્ટ્રિક પોલ કોઈ કારણોસર રસ્તા પર પડી જતા એ વિસ્તારનો વાહન-વ્યવહાર ખોરવાયો છે. લખધીરપુર રોડ સ્થિત જય ગણેશ વિટ્રીફાઇડ વાળા માર્ગ પર સંભવત: કોઈ વાહનની ઠોકરથી ઇલેક્ટ્રિક પોલ ધરાશાઈ થઈ રસ્તા પર પડતા વિસ્તારનો વાહન-વ્યવહાર અવરોધાયો છે. આ વિસ્તારમાં આવેલા કારખાનાઓમાં આવતા જતા માલવાહક ટ્રકો સહિતનો વ્યવહાર અત્યારે તો ખોરવાઈ ગયો છે.

- text

 

- text