મોરબી : મચ્છુ-2 ડેમમાંથી પરપ્રાંતીય શ્રમિકનો મૃતદેહ મળી આવ્યો

- text


મોરબી : મોરબી તાલુકાના જોધપર (નદી) ગામ નજીક મચ્છુ-2 ડેમમાંથી પરપ્રાંતીય શ્રમિકનો મૃતદેહ મળી આવ્યો છે. મોરબી તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી છે.

- text

ગઈકાલે તા. 22ના રોજ જોધપર (નદી) ગામ પાસે આવેલ મચ્છુ-2, ગેઈટ નંબર-17 પાસે પાણીમાં તરતો મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહ મૂળ ઉત્તરપ્રદેશના કનૌજ જિલ્લાના વતની તથા હાલ મોરબીના લીલાપર રોડ પર રામેશ્વર પોલી પેકેજીંગમાં રહી મજૂરી કામ કરતા 23 વર્ષીય રામજી રામપાલનો હોવાનું પોલીસને જાણવા મળ્યું છે. આ બનાવ પાછળનું કારણ જાણવા મળેલ નથી. પોલીસે આ બનાવની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

- text