મોરબીના વિદ્યાર્થીની આરતીબા તથા ટંકારાના વિદ્યાર્થી હસમુખનું B.Ed સેમ.-4માં ઉત્કૃષ્ટ પરિણામ

- text


મોરબી : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં બી.એડ. સેમ.-4 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં નરેન્દ્રસિંહ જે. ઝાલા (એડવોકેટ)ના પુત્રવધુ, જે મોરબીના વિરપર ખાતે આવેલ નવયુગ બી.એડ. કોલેજમાં અભ્યાસ કરતા આરતિબા રાજદીપસિંહ ઝાલા કુલ ગુણ 625 માંથી 618 ગુણ મેળવી 98.88% સાથે પરીક્ષા પાસ કરેલ છે. જે મોરબી રાજપૂત સમાજનું ગૌરવ છે અને મોરબી રાજપૂત સમાજ માટે એક પ્રેરણારૂપ છે. જેથી, આરતીબાને પરિવારજનો, મિત્રો તથા કોલેજ પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

- text

આ ઉપરાંત, મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવેલ મહર્ષિ દયાનંદ સરસ્વતી બી.એડ. કોલેજના વિદ્યાર્થી અને ખાખરાળાં ગામમાં રહેતા હસમુખ જેઠાભાઇ વણોલનું B.Ed સેમ.-4માં અવ્વલ પરિણામ આવ્યું છે. તેઓ કુલ ગુણ 625માંથી 621 ગુણ મેળવી 99.36% સાથે ઉતીર્ણ થયેલ છે. તેમજ કોલેજમાં બીજો ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. જે બદલ હસમુખને પરિવારજનો તથા કોલેજ પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

- text