વાંકાનેરના ઇનોવેટર મનસુખભાઈ પ્રજાપતિ આવતીકાલે ઓનલાઈન ઇવેન્ટમાં માર્ગદર્શન આપશે

- text


વાંકાનેર : આવતીકાલ તા. 21 જુલાઈના રોજ વર્લ્ડ એન્ટરપ્રીન્યોર ડે છે. જેના નિમિત્તે SIIE – Sristi BioNest દ્વારા ઓનલાઈન ઇવેન્ટ યોજવામાં આવેલ છે. આ ઇવેન્ટમાં વાંકાનેરની ‘મિટ્ટીકુલ’ સંસ્થાના સ્થાપક મનસુખભાઈ પ્રજાપતિ ઇનોવેશન પર માર્ગદર્શન આપશે. આ ઇવેન્ટ ફેસબૂક અને યુ-ટ્યુબમાં જોઈ શકાશે. ઉલ્લેખનીય છે કે ‘મિટ્ટીકુલ’ સંસ્થા માટીકલાના કારીગરો માટે કાર્યરત છે.

- text