મોરબીની પંચવટી સોસાયટીમાં પોઝિટિવ કેસ આવ્યા બાદ ત્રણ મકાનોનો કન્ટેઇનમેન્ટ ઝોનમાં સમાવેશ

- text


 

મોરબી : મોરબી જિલ્લામાં આજે શનિવારે વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો હતો. જેમાં પંચવટી સોસાયટીના રહેતા વૃદ્ધને કોરોના થતા આ વિસ્તારમાં ત્રણ મકાનોને કન્ટેઇનમેન્ટ ઝોનમાં રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

- text

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ લક્ષણો સાથે દાખલ કરવામાં આવેલા મોરબીના નવા બસ સ્ટેન્ડ પાછળ પંચવટી સોસાયટીમાં નવયુગ સ્કૂલ પાસે રહેતા રતીભાઈ નરશીભાઈ રજોડીયા ઉ.69 નામના વૃધ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.આ પોઝિટિવ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું હતું. બાદમાં સ્થાનિક અધિકારીઓએ તે સ્થળે જઈને તપાસ પણ હાથ ધરી છે. બીજી તરફ તંત્ર દ્વારા આ વિસ્તારના 3 મકાનોને કન્ટેઇનમેન્ટ ઝોનમાં સમાવવામા આવ્યા છે. જ્યારે આ વિસ્તારની આગળ અને પાછળની ગલીને બફર ઝોનમાં મુકવામાં આવી છે.

- text