- text
સામા કાંઠે એસ.ટી. બસો ઉભી રહેતા મુસાફરોને રાહત
મોરબી : અનલોક-1માં એસ.ટી. બસો શરતોને આધીન દોડાવવામાં આવી રહી છે. જોકે અનલોક-1 ના નિયમ પ્રમાણે મોરબીના સામાકાંઠે એસટી બસો ઉભી રહેતી ન હતી. ત્યારે હવે આજથી મોરબીના સામાકાંઠે એસટી બસ સ્ટોપ શરૂ કરવામાં આવ્યો છે અને એસટી બસો ઉભી રહેતા સામાકાંઠાના મુસાફરોએ રાહત અનુભવી છે.
- text
મોરબી એસટી ડેપો મેનેજર દિલીપ શામળાએ જણાવ્યું હતું કે એસ.ટી. તંત્રએ આજથી મોરબીના સામાકાંઠે હાઉસિંગ સર્કલ પાસે વર્ષો જુના એસ.ટી. સ્ટોપને શરૂ કરવામાં આવ્યો છે. આ એસ.ટી. સ્ટોપને કોરોના મહામારીને કારણે બંધ કરી દેવામાં આવ્યું હતું અને અનલોકમાં એસટી બસો શરૂ થયા બાદ પણ આ વર્ષો જુના એસ.ટી. સ્ટોપે એસટી બસો ઉભી રહેતી ન હોવાથી સ્થાનિક મુસાફરોને હાલાકી પડતી હતી. આથી, આજથી આ એસ.ટી. સ્ટોપ પાસે અગાઉની જેમ એસ.ટી. બસો ઉભી રાખવામાં આવે છે. જેથી, સામા કાંઠાના અસંખ્ય મુસાફરો એસ.ટી. મુસાફરીનો લાભ લઇ રહ્યા છે. જોકે સામાકાંઠેથી રાજકોટની બસ ઉપડશે નહિ. ઉપરથી આવતી તમામ એસટી બસો અહીં સ્ટોપ કરશે.
- text