સ્તવન સ્પર્ધામાં મોરબીના જૈન સમાજે હરખભેર ભાગ લીધો

- text


 

મોરબી : પુનિતધામ જૈન તીર્થ આયોજિત બુદ્ધિસાગરસુરીશ્વરજી મ. સા. ની 95મી સ્વર્ગારોહણ તિથિ નિમિત્તે ગાંધીનગરના મનોહરકીર્તિસાગરજી મ.સા.ના આશીર્વાદથી અને સુબોધસાગરજી મ.સા.ના શિષ્ય પ્રસન્નકીર્તિસાગરજી અને ભવ્યકીર્તિસાગરજીની પ્રેરણાથી તેમના રચિત સ્ત્વનની ગુજરાત રાજ્ય માટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીના જૈન તપગચ્છ સંઘમાંથી સૌથી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ આયોજન પ્રથમ વખત થતું હોવાથી સ્પર્ધકોમાં આનંદ જોવા મળ્યો હતો. આ તકે પુષ્પાબેન કિર્તીભાઇ શાહ પરિવાર તરફથી દરેક સ્પર્ધકને સ્ટીલના વાસણ તથા અનુમોદના પત્ર સંઘની પેઢીમાંથી આપવામાં આવ્યા હતા. તેમજ 1 થી 3 ક્રમાંક પ્રાપ્ત કરનાર સ્પર્ધકોને રોકડ રકમનું કવર ઈનામ તરીકે આપવામાં આવ્યા હતા. તેમજ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

- text