મોરબી નગરપાલિકાની લજાઈ સુધી દોડતી સિટી બસ ટંકારા સુધી દોડાવવા મુસાફરોની માંગ

- text


કોરોના વાઈરસને પગલે એસ.ટી. બસ પેસેન્જરોથી ભરાયને આવતી હોવાથી ખાનગી વાહનો દ્વારા ઉઘાડી લૂંટ કરાતી હોવાની રાવ

ટંકારા : ટંકારા મોરબીથી નજીક છે. તેથી, ઉદ્યોગ-ધંધા-નોકરી માટે ટંકારાથી મોરબી અપડાઉન કરતા લોકોની સંખ્યા પણ વધારે પ્રમાણમાં છે. હાલમાં અપડાઉન કરતા કે અન્ય કારણોથી મોરબી-ટંકારા વચ્ચે મુસાફરી કરતા લોકોએ દરરોજ ખાનગી વાહનોના સહારે બેસી રહેવુ પડે છે. કારણ કે હાલ કોરોના કાળ દરમિયાન એસ.ટી. બસમાં પેસેન્જરોની સંખ્યા ઘટાડવામાં આવી છે. જેથી, મુસાફરો મુશ્કેલી વેઠી રહ્યા છે. તેમજ ખાનગી વાહનચાલકો તેની મજબૂરીનો લાભ લઈ બેવડુ ભાડુ વસુલ કરી રહ્યા છે. ત્યારે મોરબી નગરપાલિકા દ્વારા સંચાલિત સિટી બસ જે લજાઈ સુધી આવે છે, એ ટંકારા ચોકડી સુધી દોડાવવા માટે મુસાફરોમાં માંગ ઉઠી છે. જેથી, તેઓને અપ-ડાઉન કરવામાં સરળતા રહે અને વધુ ખાનગી વાહનચાલકોને ભાડું આપવાનું ટાળી વધુ ખર્ચને ટાળી શકાય.

- text