મોરબીની સીતાબેન પરબતભાઈ આહિર શાળાના છાત્રોની ફી માફી અંગે કલેક્ટરને રજૂઆત

- text


મોરબી : મોરબી શહેરમાં આવેલ શ્રીમતિ સીતાબેન પરબતભાઈ આહિર વિધાલયના ટ્રસ્ટી પરબતભાઈ ભવાનભાઈ આહીર દ્વારા વિદ્યાર્થીઓની ફી માફી અંગે મોરબી જિલ્લા કલેક્ટર અને રાજ્યના શિક્ષણમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવેલ છે.

- text

આ લેખિત રજુઆતમાં તેઓએ જણાવ્યું છે કે આ કોરોના મહામારીમાં વિધાર્થીઓના ભણતરની ચિંતા સરકાર કરતી હોય તો અમારી પણ કાઈક ફ૨જ બનતી હોય છે. જો સરકાર શાળાના કર્મચારીઓના પગારનો ભાર ઉઠાવે તો આખું વર્ષ વિધાર્થીઓને મફત શિક્ષણ આપવા તૈયાર છીએ. પગાર સિવાયનો શાળાનો અન્ય ખર્ચ શાળા જાતે ઉઠાવવા તૈયાર છે. તેમજ સરકાર R.T.E ના ધારાધોરણ મુજબની દરેક વિધાર્થીઓની ફી શાળાને ચૂકવે તો પણ શાળા દરેક વિદ્યાર્થીઓને મફત શિક્ષણ આપવા તૈયાર છે. તો આ બાબતે યોગ્ય નિર્ણય લેવા અપીલ કરવામાં આવેલ છે.

- text