ભડિયાદ ગામની જવાહર સોસાયટી યુવા સંગઠન દ્વારા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું

- text


મોરબી : ભડીયાદ ગામની જવાહર સોસાયટી યુવા સંગઠન દ્વારા આજે સોસાયટીના યુવાનોએ કોરોનાના રોગની સામે શરીરને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેનો ઉકાળો આયુર્વેદિક પદ્ધતિથી બનાવી જવાહર સોસાયટી અને આજુબાજુની સોસાયટીમાં પણ લોકડાઉનના નિયમોનું પાલન કરીને યુવાનોની ટીમ બનાવી વહેલી સવારે ૬ વાગ્યાથી જ ઘરે ઘરે જઈને હરિઓમ સોસાયટી, જવાહર સોસાયટી તથા આસપાસના વિસ્તારના લોકોને ઉકાળાનું વિતરણ કરાયું હતું.

- text