RSS અગ્રણી ડૉ.જયંતીભાઈ ભાડેસીયાનું વક્તવ્ય 13 મે બુધવારે રાત્રે 9:15 વાગ્યે ફેસબુક પર લાઇવ..

- text


વૈશ્વિક સમસ્યાના ઉકેલ માટે ભારતીય જીવન દ્રષ્ટિ અને વ્યવહાર વિષય પર આપશે વક્તવ્ય : RSS બૌદ્ધિક વિભાગ મોરબી જિલ્લા દ્વારા આયોજન : Morbi Updateના ફેસબુક પેઈજ પર થશે લાઈવ ટેલિકાસ્ટ

મોરબી : રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના બૌદ્ધિક વિભાગ મોરબી જિલ્લા દ્વારા માનનીય પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલકજી ડૉ. જયંતીભાઈ ભાડેસીયાના ઓનલાઈન વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું છે. વૈશ્વિક સમસ્યાના ઉકેલ માટે ભારતીય જીવન દ્રષ્ટિ અને વ્યવહાર વિષય ડૉ. ભાડેસીયા પોતાના વિચારો વ્યક્ત કરશે. આ ઓનલાઈન વક્તવ્ય મોરબી અપડેટના ફેસબુક પેઇજ પર તારીખ 13-05-2020ને બુધવારે રાત્રે 09:15 કલાકે ટેલિકાસ્ટ થશે.

- text

હાલ વિશ્વમાં મહામારીથી લઈને ઘણી બધી સમસ્યાઓ જોવા મળી રહી છે. વિશ્વ આખું જાણે સમસ્યાગ્રસ્ત બન્યું હોય તેવું સર્વ કોઈ અનુભવી રહ્યું છે. વિવિધ પ્રકારની અનેકોનેક સમસ્યાઓથી વિશ્વમાનવ ઘેરાઈ ચુક્યો છે. ત્યારે હાલની વૈશ્વિક સમસ્યાના ઉકેલ માટે ભારતીય જીવન દ્રષ્ટિ અને વ્યવહાર વિષય પર રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના બૌદ્ધિક વિભાગ મોરબી જિલ્લા દ્વારા માનનીય પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલકજી ડૉ. જયંતીભાઈ ભાડેસીયાના ઓનલાઈન વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું છે. જે મોરબી અપડેટના ફેસબુક પેઇજ પર તારીખ 13 મે, બુધવારે રાત્રે 9.15 કલાકે લાઈવ જોઈ શકાશે. તો દરેક નાગરિકોએ આ વક્તવ્યનો લાભ લેવા RSS દ્વારા અનુરોધ કરાયો છે.

13 મે બુધવારે, રાત્રે 9.15 કલાકે નીચેની મોરબી અપડેટના ફેસબુક પેઈજની લિંક પર લાઈવ જોઈ શકાશે.

https://www.facebook.com/morbiupdate/

- text