ઓટાળામાં સાપ કરડતા સગીરનું મોત

- text


ટંકારા : ટંકારા તાલુકાના ઓટાળા ગામે અમરશીભાઇ પટેલની વાડીએ રહેતા 17 વર્ષીય નાકો ધરમશીભાઇ કુરીયાને ગઈકાલે તા. 7 મેના રોજ સાંજે 6 વાગ્યાના અરસામાં સાપ કરડી ગયો હતો. બાદમાં તેને સારવાર અર્થે ટંકારાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ તેની હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે બેભાન હાલતમાં રાજકોટ રીફર કરેલ હતા. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવની નોંધ ટંકારા તાલુકા પોલીસે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ હતી.

- text