મોરબીમાં પુસ્તકોની દુકાનો સવારે 7થી 2 જ ખુલ્લી રાખવાનો દુકાનદારોનો નિર્ણય

- text


બુકસેલર્સ એસો.ની સલામતીના ભાગરૂપે જાહેરાત

મોરબી : દેશભરમાં ગઇકાલથી લોકડાઉનનો ત્રીજો રાઉન્ડ શરુ થયો છે. ત્યારે મોરબી જિલ્લા કલેકટર દ્વારા દુકાનોને સવારે 7થી સાંજે 5 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી છે. પરંતુ હજુ પણ કોરોના સંક્રમણનો ભય યથાવત છે. તેથી, મોરબી બુકસેલર્સ એસોસીએશન દ્વારા તા. 5 થી 17 મે સુધી પુસ્તકોની દુકાનો માત્ર સવારે 7 થી બપોરે 2 કલાક દરમિયાન ખુલ્લી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનું દરેક બુકસેલર્સ એ પાલન કરવા અપીલ કરવામાં આવી છે. તેમ એસોસિએશનના પ્રમુખ ચંદ્રકાંતભાઈ દેત્રોજાએ યાદીમાં જણાવેલ છે.

- text