માળીયા (મી.) : હઝરત મહંમદશાહ પીર જશાપર ખાતે લોકોની અવરજવર બંધ કરાઈ

- text


માળીયા (મી.) : આજ મુસ્લિમ સમાજનો શબે બારાત ધાર્મિક તહેવાર છે. આજના દિવસે મુસ્લિમ સમાજના લોકો કબ્રસ્તાન અને દરગાહ શરીફ જતા હોય છે અને તેમના વડવાઓ જે જનત નશીબ થયા છે. તેમના માટે દુવા અને ઇબાદત કરી કબ્રસ્તાન, દરગાહ શરીફ દિવા, મિણબતી કે ચિરાગ જલાવી યાદ કરતા હોય છે.

- text

હાલની કોરોના વાયરસ અને પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને માળિયા મીયાણા તાલુકાના જશાપર ખાતે આવેલ હઝરત મહંમદ શાહ પીરની દરગાહ શરીફેમાં લોકોની લોકડાઉનના કારણે પહેલાથી લોકોની અવરજવર બંધ કરવામાં આવી છે. જેની સર્વે મુસ્લિમ સમાજ ના મુરીદોએ નોંધ લેવા હઝરત મહંમદશાહ પીર સેવા સમિતિએ એક અખબાર યાદીમાં જણાવ્યુ હતુ. વધુ માહિતી માટે સમિતિએ મોબાઇલ નંબર 96878 69202, 99255 67077 પણ જાહેર કર્યો છે.

- text