મોરબીમાં કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગરીબો અને અબોલ જીવો માટે સેવાયજ્ઞ શરૂ કરાયો

- text


મોરબી : કોરોના વાયરસની મહામારીના કારણે સમગ્ર દેશ લોકડાઉન થયેલ છે. જેને પગલે સમગ્ર મોરબી પણ લોકડાઉન છે. ત્યારે આવી વિકટ પરીસ્થિતીમાં કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ ગરીબો અને અબોલ જીવોની પડખે આવી સતત સેવાયજ્ઞ કરી રહ્યું છે.

- text

‘સત્કર્મ એ જ કર્તવ્ય’ સૂત્રને અનુસરતા મોરબીના શ્રી કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આર્થિક રીતે નબળા પરિવારને અને રોજગારી મેળવવા આવેલા બહારના પરિવારને તૈયાર ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ અબોલ જીવની ખેવના કરી ટ્રસ્ટ દ્વારા ગૌધનને લીલું આપવાની સેવા પણ કરવામાં આવી રહી છે. જરૂરિયાતમંદ લોકોએ સંદિપ જીવરાજાની મો. 99137 01533 તથા જ્યોતિ જીવરાજાની મો. 97121 01533નો સંપર્ક કરવા જણાવાયું છે.

- text