ટંકારા : માત્ર ગાય, ભેંસ માટે નહીં તમામ પશુઓ માટે સહાય જાહેર કરવાની જીવદયાપ્રેમીઓની માંગ

- text


 

સરકારે માત્ર ગાય-ભેંસ વર્ગના પશુ માટે જ ગૌ શાળાઓ અને પાંજરાપોળોને પ્રતિ દિન રૂ. 25ની સહાયની જાહેરાત કરતા જીવદયાપ્રેમીઓમાં કચવાટ

ટંકારા : સરકારે ગૌ શાળા, પાંજરાપોળ, ટ્રસ્ટના ગાય ભેસ વર્ગના પશુને એક માસ માટે પ્રતિ દિન 25 રૂની સહાય જાહેર કરી છે. આ જાહેરાતથી જીવદયા પ્રેમીમા ભારો ભાર અસંતોષ જોવા મળી રહ્યો છે. ગૌ શાળા- પાંજરાપોળમાં વર્ષોથી આશ્રિત ધેટા, બકરા, ઘોડા, ગધેડા અને ઉટને શું ઘાસચારો જોતો નથી? શું પાંજરાપોળ ગૌશાળા આવા જીવ ની બાદબાકી કરે છે? તો પછી પરિપત્રમાં ગાય અને ભેંસ જ શા માટે સમાવવામાં આવ્યા છે તો કચવાટ જીવદયાપ્રેમીઓમાં જોવા મળી રહ્યો છે.

કોરોનાવાયરસની મહામારીને પગલે સરકારે સંવેદના રાખી રાજ્યની તમામ રજીસ્ટર ગૌશાળા અને પાંજરાપોળને આર્થિક સંકટનો થાય એવા ઉમદા હેતુથી ગાય અને ભેંસ વર્ગના પશુને પ્રતિદિન પશુ દિઠ રૂપિયા 25 આપવાનો નિર્ણય કર્યો હોય જેના પરિપત્રમાં ટ્રસ્ટમાં વર્ષોથી આશ્રિત બનેલા અન્ય પશુ જેવા કે ઘેટા બકરા ઘોડા ઉટં ગધેડા જેવા પશુનો સમાવેશ ન કરતા માત્ર ગાય અને ભેંસ વર્ગનો સમાવેશ કરતા જીવદયાપ્રેમીમા ભારે રોષ સાથે નારાજગી ફેલાઈ છે. સાથે એ પણ સવાલ ઉભો થયો છે કે શું સંસ્થા અન્ય પશુઓને ઘાસચારો કે નિભાવમા અંતર રાખે છે તો પછી પરીપત્રમા અંતર શા માટે? સંવેદનશીલ સરકાર આ બાબતે પરિપત્રમાં ફરી ફેરફાર કરી તમામ નોંધાયેલા આ લાભ આપવાની માંગ ઉઠી છે

- text

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારના અછત મેનયુલમાં સ્પષ્ટ કર્યા મુજબ ગૌશાળા પાંજરાપોળના ટ્રસ્ટના રજીસ્ટ્રારમા નોંધાયેલા તમામ જીવોને સહાય મળવાપાત્ર હોવાનું સ્પષ્ટ લખ્યું હોય. જેની સામે કોરોના સંદર્ભે સરકાર જે સહાય આપવાની સંવેદના બતાવે છે એ પરિપત્રમાં માત્ર ગાય અને ભેંસ વર્ગના પશુ જ કેમ? છેલ્લા ત્રણેક વર્ષ થી ગૌ શાળા પાંજરાપોળની હાલત દયનીય બનતી જાય છે જ્યારે સંસ્થાના પ્રતિનિધિ કાયમી ધોરણે સરકાર તરફથી સહાય મળવી જોઈએની માંગણી કરી રહ્યા છે એ સમયે સરકારે ધ્યાનચુકથી ફક્ત ગાય અને ભેંસ વર્ગને જ સહાય આપવાનો જે પરીપત્ર બહાર પાડેલ છે તેમા અબોલજીવ પત્યે કરૂણા દાખવી દયા દાખવી નોંધાયેલ તમામે તમામ જીવો પ્રત્યે સરકાર પોતાની સંવેદના અને કરૂણા દાખવે એવી અગ્રણી સંસ્થાઓના પ્રતિનિધિઓએ માંગણી ઉઠાવી છે.

- text